Posts

Showing posts from August, 2024

અરબી સમુદ્રમાં ચક્રવાત હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરે છે.

Image
 *અરબી સમુદ્રમાં આ સમયે ચક્રવાત થી હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત* અરબી સમુદ્રમાં ચક્રવાત હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરે છે. 48 વર્ષમાં આવું બન્યું નથી પશ્ચિમી અરબી સમુદ્ર સામાન્ય રીતે ઠંડા સમુદ્રના તાપમાન અને અરબી દ્વીપકલ્પની શુષ્ક હવાને કારણે ચક્રવાતની રચના માટે અયોગ્ય છે. દરિયાની સપાટીનું તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોવું જોઈએ ઉત્તર હિંદ મહાસાગર દર વર્ષે લગભગ પાંચ ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો અનુભવ કરે છે બંગાળની ખાડીમાં સામાન્ય રીતે ચાર ગણા ચક્રવાત જોવા મળે છે ગુજરાતના કિનારાને પાર કર્યા બાદ અરબી સમુદ્રમાં એક અસામાન્ય ચક્રવાતએ હવામાનશાસ્ત્રીઓને હેરાન કરી દીધા છે. આ દુર્લભ ઘટના 1976 પછી પ્રથમ વખત ચિહ્નિત કરે છે કે અરબી સમુદ્રમાં ચક્રવાત જમીનને પસાર કર્યા પછી રચાયું છે, જે આ ક્ષેત્રમાં ચક્રવાતની રચનાની લાંબા સમયથી ચાલતી સમજને પડકારે છે. 1976નું ચક્રવાત ઓડિશા પર ઉદ્દભવ્યું, પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, અરબી સમુદ્રમાં પ્રવેશ્યું, લૂપિંગ ટ્રેકને અનુસર્યું અને ઓમાનના કિનારે ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર નબળું પડ્યું. આ ચક્રવાતનો સમય ખાસ કરીને ચોંકાવનારો છે. સામાન્ય રીતે, ચોમાસા દર...

મેજર ધ્યાનચંદ

Image
શ્રી મેજર ધ્યાનચંદ (જ. 29 ઑગસ્ટ 1905, અલ્લાહાબાદ; અ. 3 ડિસેમ્બર 1979, દિલ્હી) : ભારતીય હૉકીના વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મેળવનાર સર્વોત્કૃષ્ટ ખેલાડી અને સુકાની. પંદર વર્ષની ઉમરથી તેમણે હૉકી રમવાની શરૂઆત કરી હતી જેમાં પ્રાપ્ત કરેલ નિપુણતાને કારણે 1922માં ભારતીય લશ્કરમાં સિપાહી તરીકે ભરતી થયા અને છેક મેજરના પદ સુધી પહોંચ્યા હતા. હૉકીના સફળ ખેલાડીમાં આવશ્યક એવા તમામ ગુણો ધરાવતા ધ્યાનચંદ બુદ્ધિમત્તા, આંખોની ચપળતા, કાંડાની તાકાત અને હરણ જેવી ઝડપી ગતિથી વિશ્વશ્રેષ્ઠ ખેલાડી બન્યા હતા. 1928માં ભારતની હૉકી ટીમમાં ઑલિમ્પિક સ્પર્ધા માટે તેઓ પસંદગી પામ્યા અને તે વર્ષે 29મી મેએ ઍમસ્ટર્ડામમાં યોજાયેલી ઑલિમ્પિક હૉકી સ્પર્ધામાં ધ્યાનચંદની કાબેલિયતને કારણે ભારત વિશ્વવિજેતા બન્યું હતું. 1932ની ઑલિમ્પિકની અંતિમ સ્પર્ધામાં અમેરિકા સામે ભારતે 24 ગોલ કરીને વિશ્વવિક્રમ કર્યો હતો. તેમાં આઠ ગોલ ધ્યાનચંદના અને દસ ગોલ એમના ભાઈ રૂપસિંહના હતા. 1935માં ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે ગઈ ત્યારે ભારતીય ટીમે કુલ 584 ગોલ કર્યા અને હરીફ ટીમોએ માત્ર 40 ગોલ કર્યા હતા. આમાં ભારત તરફથી 200 ગોલ સેન્ટર-ફૉર્વર્ડ ખેલાડી તરીકે ધ્યાન...

ધોરણ 6 સ્વાધ્યાય 1-3 વધારાના મહાવરાના દાખલા

Image
  સ્વાધ્યાય 1 થી 3 ના વધારાના મહાવરાના દાખલા નીચેના લીંક ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.  ધોરણ 6 સ્વાધ્યાય 1-3 પ્રેક્ટિસ માટે ના દાખલા

ધોરણ 6 સ્વાધ્યાય 1-3 આધારિત નમૂનાની એકમ કસોટી

Image
  ધોરણ 6 સ્વાધ્યાય 1-3 એકમ કસોટી ઉપરની લીંક ઉપર ક્લિક કરવાથી ધોરણ છ ની સ્વાધ્યાય 1 થી 3 ની નમૂનારૂપ અધ્યયન નિષ્પત્તિ આધારિત એકમ કસોટી મળી રહેશે.

ધોરણ 8 ગણિત અને વિજ્ઞાન પાઠ અને સ્વાધ્યાય 1 થી 3 ના વધારાના પ્રશ્નો અને દાખલા

Image
 ધોરણ આઠ ગણિત અને વિજ્ઞાન સ્વાધ્યાય 1 થી 3 અને પાઠ 1 થી 3 ના વધારાના પ્રશ્ન અને મહાવરા માટેના દાખલા નીચેની લીંક ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.  ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 1-3 ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1-3

ધોરણ. 7 ગણિત અને વિજ્ઞાન પ્રથમ ત્રણ એકમ ના વધારાના મહવરાના દાખલા અને પ્રશ્નો

Image
 ધોરણ સાત ગણિત અને વિજ્ઞાન વિષયના પ્રથમ ત્રણ એકમના પાઠ અને સ્વાધ્યાયના વધારાના મહાવરા  ધોરણ 7 ગણિત 1-3 મહાવારા ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1-3 વધારાના પ્રશ્નો

ધોરણ 6 ગણિત અને વિજ્ઞાન પ્રેક્ટિસ મટીરીયલ

Image
 ધોરણ 6 ગણિતના સ્વાધ્યાય એક થી ત્રણ અને વિજ્ઞાનના એક થી ત્રણ પાઠ ના વધારાના પ્રશ્નો અને પ્રેક્ટિસ માટેના દાખલા મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો. વિજ્ઞાન પાઠ 1 થી 3 ગણિત સ્વાધ્યાય 1 થી 3

ઑગસ્ટ દિન વિશેષ

Image
ઑગસ્ટ  માસના દિન વિશેષ વિશે મહત્વની માહિતી pdf સ્વરૂપે .. ઑગસ્ટ દિન વિશેષ

ગણિત વિજ્ઞાન પ્રદર્શન

Image
 ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત જીસીઈઆરટી મારફતે આપવામાં આવેલી માર્ગદર્શિકા ની પીડીએફ  ગણિત વિજ્ઞાન પ્રદર્શન માર્ગદ્શિકા

ડો. વિક્રમ સારાભાઇ જન્મ જયંતી વિશેષ

Image
  વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ ગુજરાત, ભારતમાં થયો હતો.તેમના પિતા અંબાલાલ સારાભાઈ ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે પ્રતિબદ્ધ એક મોટા ઉદ્યોગપતિ હતા . વિક્રમ સારાભાઈએ 1942 માં શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સાથે લગ્ન કર્યા હતા . આ દંપતીને બે બાળકો હતા. તેમની પુત્રી મલ્લિકાએ અભિનેત્રી અને કાર્યકર તરીકે નામના મેળવી હતી અને તેમનો પુત્ર કાર્તિકેય પણ વિજ્ઞાનમાં સક્રિય વ્યક્તિ બન્યો હતો. તેમના જીવનકાળ દરમિયાન, તેમણે વૈષ્ણવનું પાલન કર્યું . તેમણે ગુજરાત કોલેજ , અમદાવાદમાં અભ્યાસ કર્યો, પરંતુ બાદમાં તેઓ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયા, જ્યાં તેમણે 1940માં પ્રાકૃતિક વિજ્ઞાનમાં તેમની ટ્રાયપોસ લીધી.1945માં તેઓ પીએચડી કરવા માટે કેમ્બ્રિજ પાછા ફર્યા અને એક થીસીસ લખી, "કોસ્મિક રે ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં તપાસ" ભારતમાં અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે જાણીતી, ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) ની સ્થાપના 1947 માં વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી.  પીઆરએલએ કોસ્મિક કિરણો પર સંશોધન સાથે તેમના નિવાસસ્થાન "રીટ્રીટ" ખાતે સાધારણ શરૂઆત કરી હતી . કર્મક્ષેત્ર એજ્યુકેશનલ ફાઉન્ડેશન અ...

15 મી ઓગષ્ટ નિબંધ

Image
  15th August : Independence Day Essay in Gujarati : 150 Words 15મી ઓગસ્ટ 1947ના રોજ લગભગ 200 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી, દેશ આઝાદ થયો. જેની ખુશીમાં દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આપણા ભારત દેશમાં દર વર્ષે 3 રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન), 15મી ઓગષ્ટ (સ્વાતંત્ર્ય દિન) અને 2જી ઓક્ટોબર (ગાંધી જયંતિ) આ 3 રાષ્ટ્રીય તહેવારનો સમાવેશ થાય છે. 15મી ઓગસ્ટના દિવસે સરકારી કચેરીમાં રજા હોય છે. સવારથી જ શાળા, કોલેજ, સંસ્થાઓ, સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હોય છે. જેમાં ધ્વજવંદનની સાથે રાષ્ટ્રગાન ગાવું દેશભક્તિ ગીતો ગાવાં, દેશપ્રેમના નારા બોલાવવા તેમજ નૃત્ય, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. લોકો એકબીજાને મીઠાઈ- ચોકલેટ ખવડાવે છે. શાળા અને કોલેજોના વિધાર્થીઓ દ્વારા રેલીઓ કાઢવામાં આવે છે. યુવાનો D J માં દેશભક્તિના ગીતો વગાડી, બાઈક રેલીઓ કાઢી શહેરમાં ભ્રમણ કરે છે. દિલ્હીમાં લાલકિલ્લા પર પ્રધાનમંત્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે. તથા રાજપથ ઉપર ભારતીય સેનાના જવાનો દ્વારા પરેડ દ...

સિંહ દિવસ

Image
World Lion Day 2024 : વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે. વિશ્વભરમાં સિંહોની ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખીને, બિગ કેટ રેસ્ક્યુએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે. સમગ્ર વિશ્વમાં દાણચોરી અને ગેરકાયદેસર શિકારને કારણે સિંહની પ્રજાતિઓ અને સંખ્યાઓ લુપ્ત થઈ રહી છે, જેના માટે તેમને રક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. દુનિયાભરમાં હાલ આફ્રિકા અને ભારતમાં ગુજરાતના ગીર સિંહ પ્રખ્યાત છે. ગુજરાતનું ગીર જંગલ એશિયાટીક સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન છે. વિશ્વ સિંહ દિવસ ઇતિહાસ વિશ્વ સિંહ દિવસની સ્થાપના 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી, જે સિંહોને સમર્પિત વિશ્વનું સૌથી મોટું અભયારણ્ય છે. તેની સહ-સ્થાપના ડેરેક અને બેવર્લી જોબર્ટે કરી હતી. જેમણે સિંહોની ઘટતી જતી વસ્તી અને તેમના કુદરતી રહેઠાણોમાં તેઓ જે જોખમોનો સામનો કરે છે તેને પ્રકાશિત કરવાની તાત્કાલિક જરૂરિયાતને ઓળખી હતી. જોબર્ટ્સે નેશનલ જિયોગ્રાફિકના સહયોગથી 2009માં બિગ કેટ ઇનિશિયેટિવ (BCI) શરૂ ક...

અધ્યયન નિષ્પત્તિ આધારિત એકમ કસોટી ધોરણ 6-8 ગણિત વિજ્ઞાન એકમ 3

Image
  અધ્યયન નિષ્પત્તિ આધારિત એકમ કસોટી ધોરણ 6-8 ગણિત વિજ્ઞાન એકમ 3 એકમ કસોટીઓ ધોરણ 6-8 એકમ 3

અઘ્યયન નિષ્પત્તિ આધારિત યુનિટ ટેસ્ટ ધોરણ 6 થી 8 ગણિત અને વિજ્ઞાન

Image
  ગણિત અને વિજ્ઞાનની અધ્યયન નિષ્પત્તિ મુજબ કસોટી ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો. STD 6-8 MATS AND SCIENCE CHAPTER 2 STD 6-8 MATHS & SCIENCE CH 2

વિજ્ઞાન વિશ્વ ના તારલાઓ

Image
*વિજ્ઞાન વિશ્વના તારલાઓ!* ( ૬ ઓગસ્ટ ૧૮૮૧) આજના દિવસે તારીખ ૬ ઓગસ્ટ ૧૮૮૧ ના રોજ *સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ* ની જન્મજયંતી છે. સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગનો જન્મ તારીખ ૬ ઓગસ્ટ ૧૮૮૧ ના રોજ સ્કોટલેન્ડમાં થયો હતો. તેઓ સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્મેર્કોલોજિસ્ટ હતા.   સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે લંડનની સેન્ટમેરી મેડીકલ સ્કૂલમાં મેડીસીનનો અભ્યાસ કર્યો હતો અને નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ હોસ્પીટલના ઈનોકયુલેશન વિભાગ (કે જે પાછળથી રાઈટ ફ્લેમિંગ ઈનસ્ટીટયુટ તરીકે ઓળખાયો) તેમાં કામ કર્યું હતું. તેઓએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન રોયલ આર્મી મેડિકલ કોટર્સમાં કેપ્ટન તરીકે સેવા આપી હતી. તેમણે વર્ષ ૧૯૨૮ માં *‘પેનિસિલિન’* ની શોધ કરી હતી. જો કે બીજા વિશ્વયુદ્ધ સુધી તેના એન્ટીબેક્ટેરિયા ગુણધર્મનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. પેનિસિલિનની શોધ આધુનિક ચિકિત્સાનાં સૌથી મહત્વપૂર્ણ વિકાસમાનું એક છે. તેઓને વર્ષ ૧૯૪૫ માં મેડીસીન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. RRG EDUCATION તેઓને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને તેમના વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન માટે યાદ કરે છે. 

નેશનલ સાયન્સ સેમિનાર

Image
  National Science Seminar (NSS) : 2024 Registration form Submit before  17th August, 2024 Venue: Jilla Lok Vigyan Kendra, NIB school of Science campus, Ahemdabad Highway, Laxmipura, Palanpur, Banaskantha * વર્ષ 2024-25 NSS સ્પર્ધાનો ટોપિક: "Artificial Intelligence:Potentials and Concerns" છે. *NSS સ્પર્ધામાં ધોરણ 8 થી 10 ના બાળકો ભાગ લઈ શકશે. *ભાગ લેનાર બાળકે હિન્દી અથવા English ભાષામાં સેમિનાર આપવાનો રહેશે . *જિલ્લા કક્ષાની સ્પર્ધા 22 ઓગસ્ટના રોજ યોજાશે. *સમગ્ર જિલ્લામાંથી બે બાળકોની પસંદગી રાજ્ય કક્ષા માટે થશે. *ભાગ લીધેલ બાળકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.  *TA અને હાજરીનો દાખલો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી આપવામાં આવશે. [સ્પર્ધામાં આવનાર શિક્ષકશ્રી અને વિદ્યાર્થીને બસ ભાડા પ્રમાણે TA મળવા પાત્ર રહેશે.] *સેમિનાર દરમ્યાન વિદ્યાર્થી ppt, પોસ્ટરનો ઉપયોગ કરી શકાશે. વઘુ માહીતી માટે Contact: 93270 13544; 9033292008 *નેશનલ સાયન્સ સેમિનાર માં ભાગ લેવા ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો* ગૂગલ ફોર્મ નેશનલ સાયન્સ સેમિનાર માં ભાગ લેવા માટે

એકમ કસોટીઓ ધોરણ 3-8 સમય પત્રક 2024-25

Image
 GCERT દ્વારા એકમ કસોટીઓ ધોરણ 3-8 માટે નું સમય પત્રક અને સંભવિત સત્રાંત કસોટી ની તારીખો જાહેર 👍 નીચેની લીંક ક્લીક કરીને વાંચો  એકમ કસોટીઓ ધોરણ 3-8 સમય પત્રક 2024-25

અઘ્યયન નિષ્પત્તિ મુજબ ગણિત અને વિજ્ઞાન ના પ્રશ્નપત્રો

Image
 નમસ્કાર નવું સત્ર શરૂ થઈ ગયું છે અને આપણે આપણી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બાળકો ને એકમ કસોટી માં મદદરૂપ થાય એવા ફોર્મેટ સાથે અધ્યયન નિષ્પત્તિ આધારિત એકમ કસોટી ગણિત અને વિજ્ઞાન માટે આ ગ્રુપમાં હવેથી દર સોમવારે મૂકવામાં આવશે.. આપ આ કોમ્યુનિટી ની લીંક અન્ય મિત્રો સાથે શેર કરી શકો છો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભાન્વિત થઈ શકે. https://chat.whatsapp.com/LGkXys0zbYBIi3k8M67Y7N પેપર માટે ની ડ્રાઇવ ની નીચેની લીંક ઉપર ક્લિક કરો  https://drive.google.com/drive/folders/1P3KMflZ2UB1pLx6HlXEUr9KF8APxGm0C જય વિજ્ઞાન